. . .
. . .
. . .

મુખ્ય મેનુ

ધર્મસ્થાનો

રબારી સંસ્કૃતિ

પ્રતિભા પરીચય

સમાચાર

રબારી સમાજના વિવિધ વર્તમાન
આ વિભાગ મહિનામાં બે વખત અપડેટ થાય છે.

 

અમે આભારી છીએ

"ગોપાલબંધુ"

ગોવિંદભાઈ દેસાઈ

મહેસાણા

"રબારી મહિમા"

વીરાભાઈ કોડીયાતર

પોરબંદર

"ગોપાલ ગાથા"

અમરતભાઈ દેસાઈ

જંત્રાલ

"ગૌપાલક ડોટ કોમ"
અર્જુનભાઈ રબારી
વડોદરા
 
 
 
 
 
 
 
રબારી સમાજ ગીતા
ગુજરાત રબારી સમાજ બંધારણ પરીષદ
સમુહ લગ્નોત્સવ
સુરેન્દ્રનગર
વિષેશ અહેવાલ
શ્રી વડવાળા સોશ્યલ ટ્રષ્ટ, સુરેન્દ્રનગર દ્વારા યોજવામાં આવેલો તૃતીય સરસ્વતી સન્માન સમારંભ
રબારી સમાજના તેજસ્વી તારલાઓ
વલોણુ
ચુટણી વિશેષાંક
(in PDF)

શિક્ષણ પ્રોત્સાહન શિબિર

 
 
 

 

 

 

        ચાલુ સાલે લેવાયેલી વિવિધ પરીક્ષાઓમાં રબારી સમાજના વિદ્યાર્થીઓ ઉચ્ચગુણ મેળવીને ઉત્તીર્ણ થયા છે. તે સૌને "વડવાળા ડોટ કોમ" તરફથી હાર્દિક અભિનંદન...

 
જનરલ સામ માણેકશા ના ભેરૂ લિંબાળાના રણછોડ પગી

       બનાસકાંઠા જિલ્લામાં ૧૫મી ઓગષ્ટની ઉજવણી પ્રસંગે વાવ તાલુકાના લિંબાળા ગામે રહેતા રણછોડભાઈ સવાભાઈ રબારી ને આમંત્રણ પાઠવાયું હતુ, જેમણે ૧૯૬૫ અને ૧૯૭૧ ના ભારત-પાકિસ્તાન ના યુધ્ધ દરમિયાન ભારતીય લશ્કરને બનાસકાંઠાની સરહદેથી છેક પાકિસ્તાનના નગરપારકર સુધી દોરી જઈને ૧૦ હજાર જવાનોની બટાલિયનને બચાવી હતી.

       ભારત-પાકના ભાગલા દરમિયાન પાકિસ્તાનના પેથાપૂર ગથડો ગામમાં ૩૦૦ એકર જમીન અને ૩૦૦ સાંઢ, ગાય તેમજ ઘેટાં બકરાંનુ પશુધન ધરાવતા માલધારી રણછોડભાઈ રબારી પાકિસ્તાની સૈનિકોના ત્રાસથી વાવના રાધાનેસડા ગામમાં આવ્યા બાદ મોસાળ લિંબાળા ગામમાં સ્થાયી થયા હતા. જેમાં એ ૩૧ વર્ષ, ૨ માસ અને ૨૬ દિવસ દેશની સેવા કરવા બદલ સરકાર તરફથી સમર સેવા સ્ટાર મેડલ ૧૯૬૫, સંગ્રામ મેડલ અને પોલીસ મેડલ ફોર મેરીટોરિયસ સર્વિસ ઇન્ડિયન પોલીસ એનાયત થયા હતા અને તા.૩૧.૭.૯૨ ના રોજ સ્વેચ્છિક નિવૃત થયા હતા.

       જનરલ માણેજશાએ બહુ ઓછા સિવિલિયન વ્યક્તિઓ સાથે ડિનર લીધું હતું, જેમાંના રણછોડ પગી એક હતા.

 

      "આરઝી હકૂમત" ના સ્વાતંત્ર્ય સેનાની હીરાભાઈ વેલાભાઈ ખાંભલાનું ભવ્ય બહુમાન થયું.

       જુનાગઢ ખાતે આઝાદીના લડવૈયા એવા ૪૫ "આરઝી હકૂમત" ના સ્વાતંત્ર્ય સેનાનીઓનું ભવ્ય બહુમાન થયું. તેમાં સમગ્ર રબારી સમાજમાંથી એકમાત્ર એવા હીરાભાઈ વેલાભાઈ ખાંભલા (વાંકાનેર) નું મરણોત્તર સન્માન થયું છે. તેમના વારસદાર જોમાબહેને ઉપસ્થીત રહી આ સન્માન સ્વીકારેલ. મોતને મૂઠ્ઠીમાં લઈ સર્વસ્વ ન્યોચ્છાવર કરી મા ભોમની મુક્તિ માટે ઝઝૂમનાર "આરઝી હકૂમત" માં રબારી હીરલો-વીરલો હતો તે સમગ્ર સમાજે ખૂબ ગૌરવ લેવા જેવી ઘટના છે. 

 

૬૦ લાખના ખર્ચે દ્વારકાધીશ માટે સોના-ચાંદીનું સિંહાસન

        ભગવાન દ્વારકાધીશ માટે રૂ.૬૦,૦૦,૦૦૦ ના ખર્ચે સોના-ચાંદીના ભવ્ય સિંહાસનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેના નિર્માણનો તમામ ખર્ચ ઉઠાવનાર કાંકરેજના ધારાસભ્ય અને રબારી રત્ન શ્રી બાબુભાઈ દેસાઈ આગામી શરદપૂર્ણીમાના રોજ આ સિંહાસન ભગવાનને અર્પણ કરશે. સિંહાસનમાં રૂ.૨ લાખના લાકડાની નકશીવાળી ફ્રેમ, રૂ.૪૮ લાખનું સોનુ, રૂ.૬ લાખની ચાંદી હશે. સિંહાસનનું કામ છેલ્લા ૪ મહિનાથી ૮ થી ૧૦ કારીગરો દ્વારા ચાલી રહ્યું છે.

        બાબુભાઈ દેસાઈ દ્વારા જ દ્વારકાધીશ મંદિર પરિસરમાં તા.૧.૩.૨૦૦૯ થી સતત એક વર્ષ સુધી શ્રીમદ ભાગવત કથાઓનું સુંદર આયોજન શ્રધ્ધા અને ભક્તિપૂર્વક કરવામાં આવનાર છે. જુદા જુદા ભાગવત કથાકારો દ્બારા વર્ષ દરમિયાન કુલ ૫૧ શ્રીમદ ભાગવત કથાઓ શ્રી દ્વારકાધીશને સતત શ્રવણ કરાવવામાં આવશે. આ માટેનું સંમ્પૂર્ણ આયોજન થઈ ગયેલું છે.

 

       સુરેન્દ્રનગર મુકામે શ્રી વડવાળા સોશ્યલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલો "વિદ્યાર્થીઓનો પંચમ સન્માન સમારંભ"

        તા.૨૦/૭/૦૮ ને રવિવારે બપોરે ૧-૩૦ કલાકે શ્રી રંભાબેન ટાઉન હોલ, સુરેન્દ્રનગર મુકામે શ્રી વડવાળા સોશ્યલ ટ્રસ્ટ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના રબારી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો  "પંચમ સન્માન સમારંભ" નીચેના મહાનુભાવોની હાજરીમાં સુંદર રીતે યોજવામાં આવ્યો હતો. આ સમારંભના સૌજન્ય દાતાઓઃ-

        શ્રી અમરતભાઈ દેસાઈ (ચેરમેન), શ્રી મહેશભાઈ ગોવિંદભાઈ સાવધરીયા(એમ.ડી.) શ્રી મણીનગર નાગરીક સહકારી બેન્ક લી.અમદાવાદ

       નિમંત્રકઃ- શ્રી વડવાળા સોશ્યલ ટ્રસ્ટ - સુરેન્દ્રનગર જિલ્લા સમસ્ત રબારી સમાજ

       પ્રમુખ સ્થાનઃ- બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ (માન.ધારાસભ્યશ્રી)

       દીપ પ્રાગટ્યઃ- પ.પૂ.શ્રી કણીરામ બાપુ (મહંતશ્રી ૧૦૦૮ દૂધરેજ વડવાળા મંદિર), મેઘમંડલેશ્વર શ્રી રામ બાલકદાસજી બાપુ (મહંતશ્રી દૂધઈ વડવાળા મંદિર)

       ઉપસ્થિત પ્રેરક વ્યક્તિત્વઃ- શ્રી વી.વી.રબારી (આઈપીએસ- આઇ.જી.પી., રાજકોટ), શ્રી અશોકકુમાર યાદવ (આઈપીએસ. જી.પો.અ., સુરેન્દ્રનગર), શ્રી જી.ટી.ચાવડા (નાયબ સચિવશ્રી, ગાંધીનગર), શ્રી એમ.યુ.ટમાલીયા (સભ્યશ્રી ગુ.મા.શિ.બોર્ડ, ગાંધીનગર), શ્રી કનુભાઈ કરમટા (માહિતી નિયામક, રાજકોટ), શ્રી અમૃતભાઈ દેસાઈ (ચેરમેન, કાંકરીયા મણીનગર બેંક, અ.વાદ) , શ્રી મહેશભાઈ સાવધરીયા (એમ.ડી., કાંકરીયા મણીનગર બેંક, અ.વાદ), શ્રી લાલસિંગભાઈ પવાર (વાઈસ પ્રેસિડેન્ટ, AXIS BANK, અ.વાદ), શ્રી ઘનશ્યામભાઈ સાવધરીયા (પ્રમુખશ્રી, જિ.પં.ભાજપ સેલ, અ.વાદ), શ્રી દેવસીભાઈ બી.પઢેરીયા (સમાજ અગ્રણી), શ્રી રતિલાલ દેસાઈ (પૂર્વ મેયરશ્રી, વડોદરા), ડો.શ્રી પી.એલ.દેસાઈ (એમ.ડી., પાલનપુર), શ્રી ગોવિંદભાઈ દેસાઈ (તંત્રીશ્રી, ગોપાલબંધુ,  મહેસાણા), શ્રી ચીમનભાઈ કટારા (સી.એ., રાજકોટ), શ્રી વિજયભાઈ નાંગેશ (એડવોકેટશ્રી, ગુજરાત હાઈકોર્ટ)

         પૂ.મહંતોના વરદહસ્તે દીપ પ્રાકટ્ય થયા પછી સમારંભ શરૂ થયો હતો. પ્રાર્થના પણ કરવામાં આવી હતી. ટ્રસ્ટના પ્રમુખશ્રી અરવિંદભાઈ દેસાઈએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. મહેમાનોનું ફૂલહારથી સન્માન કર્યા પછી વિવિધ વક્તાઓએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં. જેમાં આ સમાજમાં શિક્ષણનો ખૂબજ વ્યાપ વધે, કન્યા કેળવણીનું પ્રમાણ પણ વધે અને પશુપાલનના વ્યવસાયને મર્યાદિત કરીને અન્ય વ્યવસાયો અપનાવવાની શીખ સમાજને આપવામાં આવી હતી. આ જિલ્લામાં ૧૦૦ કરતાં વધુ રબારી સમાજના શિક્ષકો છે. તેઓ પણ સમાજના શિક્ષણ માટે કંઇક કરી છૂટે તેવી અપેક્ષા રાખવામાં આવી હતી. પૂ.મહંતશ્રી કનીરામદાસજી તથા પૂ.મહંતશ્રી રામબાલકદાસજી એ આ સમાજમાં સંગઠન વધે, સંપ વધે, શિક્ષણ વધે અને કન્યા વિક્રય સદંતર બંધ થાય તેવા પ્રયત્નો કરવા માટે હાકલ કરી હતી. આ ભણતાં બાળકો પોતાનું ધ્યેય, લક્ષ્ય નક્કી કરે, સ્વપ્નો સેવતાં થાય અને એ સ્વપ્ન સાકાર કરવા પરિશ્રમ કરે તેવી શીખ આપવામાં આવી હતી.

 

     શ્રી વડવાળા મંદિર, દુધઈ તથા સમસ્ત મચ્છુ કાંઠાશ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા યોજવામાં આવેલો તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ તથા પુરણ સ્મૃતિ એવોર્ડ અર્પણ સમારોહ

      તા.૨૦/૭/૨૦૦૮ ના રોજ ૩ કલાકે એપોલો હોલ, શનાળા બાય પાસ, મોરબીમાં સમસ્ત મચ્છુ કાંઠા શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા સમાજનાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ નીચેના મહાનુભાવોની હાજરીમાં યોજવામાં આવ્યો હતો.

       દિપ પ્રાગટ્ય તથા પ્રમુખ સ્થાને પ.પૂ.ધ.ધૂ.મહંતશ્રી ૧૦૮ શ્રી કનીરામજીબાપુ ગુરૂશ્રી કલ્યાણદાસજી મહારાજ (શ્રી વડવાળા મંદિર - દુધરેજ)

      આશિર્વચન તથા અતિથિ વેશેષશ્રીઃ-

     પરમ આદરણીય પુ.શ્રી મેઘમંડલેશ્વર રામબાલકદાસ બાપુ ગુરૂશ્રી પુરણદાસબાપુ (મહંતશ્રી વડવાળા મંદિર - દુધઈ), પરમ આદરણીય પુ.શ્રી બંસીદાસબાપુ ગુરૂશ્રી જીણારામબાપુ (મહંતશ્રી આપાઝાલાની જગ્યા -મેસરીયા), માનનીયશ્રી દાનવીર બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ (ધારાસભ્યશ્રી, કાંકરેજ મત વિસ્તાર), પરમ પુજ્ય ભુવાશ્રી નાથાઆતા (ભુવાશ્રી - માતાનો મઢ, લાંબા બંદર), પરમ પુજ્ય મહંતશ્રી નારદબાપુ (મહંતશ્રી, માંડણપીરની જગ્યા તથા દેવીદાસ જન્મભૂમિ - જુના મુંઝીયાસર), પરમ પુજ્ય મહંતશ્રી ભીખુબાપુ (મહંતશ્રી, રામેવબાપુની જગ્યા - દેવકી)

      દીપ પ્રાક્ટય પછી સમારંભ શરૂ થયો હતો. મહેમાનોનું ફૂલહાર થી સ્વાગત કરવામાં આવ્યું, ત્યારબાદ વિવિધ વક્તાઓએ પ્રાસંગિક પ્રવચનો કરીને આ સમાજમાં ખૂબ ખૂબ શિક્ષણ વધે તેવી આશાઓ વ્યક્ત કરી હ્તી. પૂ.મહંતોએ પણ સમાજમાં શિક્ષણ વધે, સંપ વધે, ઇર્ષાદૂર થાય એવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમસ્ત મચ્છુકાંઠાશ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા આવતા વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ધો ૮ થી ઉપરની કક્ષાઓમાં ભણતાં તેજસ્વી બાળકોને ઇનામો આપીને સન્માનવામાં આવ્યા હતાં.

       પૂ.ગુરૂવર્યશ્રી પુરણદાસજીબાપુની દિવ્ય સ્મૃતિમાં શ્રી દુધઈ વડવાળા મંદિર દ્વારા પૂ.પુરણદાસજી બાપુના દિવ્ય સ્વપ્નને સાકાર કરતાં આપણા સમાજના કર્મશીલ વ્યક્તિને "શ્રી પુરણ સ્મૃતિ એવોર્ડ" આપવાનું નક્કી કર્યુ છે. જેણે આપણા સમાજને ગૌરવ યશ કિર્તિ અપાવી છે, તેવી આપણા જ સમાજની દિકરી શ્રી ઉષાબેન રાડાને આ સેવા આપવાનાનું નક્કી થયું હતું.

     "શ્રી પુરણ સ્મૃતિ એવોર્ડ" માટે પસંદ થયેલાં ઉષાબેન રાડા (D.Y.S.P.-અ.વાદ) તે એવોર્ડ લેવા મોરબી પધાર્યા ન હતાં. કારણકે અમદાવાદની અશાંત પરિસ્થિતિને કારણે તેઓશ્રી અમદાવાદ છોડી શક્યાં ન હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા શ્રી વિરમભાઈ રબારીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

 

मै रबारी का पुत्र बना I.A.S.

      प्रतिभा अभावों मे निखरती है। मिसाल सामने है। जालोर जिले के निंम्बाराम देवासी। एक ऐसे शख्स, जिनके परिवार ने भेड-बकरियां चराने मे ही जिंदगी गुजार दी। जिनके रेबारी समाज मे सरकारी नौकरी तो दूर, पढने-लिखने तक को अजीब निगाहों से देखा जाता था। वही के निंम्बाराम ने अपने कभी न कमजोर होने वाले जज्बे से आई ए एस अधिकारी बनने का ख्वाब पूरा किया। सांचोर तहसील के सरनाउ गांव के निंम्बाराम का बचपन नितांत अभावों में बीता।

      निंम्बाराम कहते है, "मेरा जन्म भेड-बकरियों के बीच हुआ। पिता पशुपालक थे और मां मजदूर। कमाई के नाम पर चंद रूपए। ये हम चार भाई-बहनों के पालन-पोषण के लिए ही कम पडते थे, ऐसे में पढाई तो कोसों दूर ही थी। लेकिन बडे भाइ चाहते थे की मै दसवी तल तो पढ हि लूं। लिहाजा मुझे पास की हुक्सा की ढाणी में पढने भेज दिया गया। तंगहाली इतनी कि स्लेट तक मयस्सर नहीं थी। जमीन पर ही बारहखडी और पहाडे लिखकर मैने पांचवी तक की पढाई की। मुझे आगे पढाने की खातिर बडे भाई कमाने मुंबई चले गये। दसवीं के नतीजे से मे और भाई दोनों बहुत कोन्फिडेंट हो गये। लेकिन नियती इतनी मेहरबान कहां थी। भाई एक भीषण दुर्घटना मे घायल हो गये। उन्हें मुंबई से गांव लाना पडा। कमाई का यह आसरा भी जाता रहा। मुझे लगा कि मेरे सपने अब ध्वस्त हो गए, लेकिन मेरी भाभी, मां और पिताजी ने मुझे हारने नहीं दिया। वे सब मेहनत-मजदूरी करते और मैं ईमानदारी से पढाई करता रहा।

      मैने स्नातक, स्नातकोत्तर, बी.एड और एम.फिल प्रथम श्रेणी से पास की। कुछ सालों बाद मैने घर से खर्चा लेना बंध कर दिया और कोलेजों में पढाकर अपना खर्चा निकालने लगा। मैने आई ए एस की तैयारी गंभीरता से की। इस दौरान मेरा चयन तृतीय श्रेणी अध्यापक के रूप में हो गया। अब मैं और अधिक आत्मविश्वासी हो गया। मैं दिल्ली जाकर दर्शनशास्त्र और इतिहास विषयों की तैयारी करने लगा। दर्शनशास्त्र के लिए मुझे दिल्ली स्थित पतंजली संस्थान के धर्मेन्द्र सर ने तैयार किया और उन्ही के मार्गदर्शन के चलते मैं यहां तक पहुंचा। इतिहास की तैयारी मैने खुद की। मुजे पता नहीं, मै दिन मे कितने घंटे पढता था, लिकिन यह जरूर था कि जब भी आंखें खुलीं किताबें सामने होती थी। आज लगता है कि मैं परिजनों के विश्वास पर खरा उतरा हूं।

 

      રાયકા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, રબારી ઉત્કર્ષ મંડળ- રાજકોટ આયોજીત વિઝન-૨૦૨૦ અંતર્ગત શિક્ષણ પ્રોત્સાહન શિબિર

        શિક્ષણથી સમાજ ઉત્કર્ષ, તે સમયની માંગ છે. જે અંતર્ગત ધોરણ ૧૦, ૧૨ ગ્રેજ્યુએશન, પોસ્ટગ્રેજ્યુએશન તથા ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે વિદ્યાર્થીઓએ મેળવેલ સિધ્ધિઓને બીરદાવવા, પ્રોત્સાહિત કરવા, પરિવારસહ સ્નેહમિલનનું આયોજન કર્યુ હતું.

       શિબિરના મુખ્ય મહેમાનોઃ- શ્રી કનુભાઈ કરમટા (માહિતી નિયામકશ્રી-રાજકોટ), શ્રી લાલસીંગ પવાર (વા.પ્રે. AXIS BANK અ.વાદ), શ્રી બી.એમ.રબારી- D.F.O. રાજકોટ, ડો.તેજસ કરમટા M.D. રાજકોટ, પ્રો. અર્જુનભાઈ રબારી- વડોદરા, શિબીર સંચાલક- શ્રી દેવશીભાઈ રબારી-થોરીયાળી.

     કાર્યસુચિઃ- દિપ પ્રાગટ્ય, મહેમાનોનો પરિચય અને સ્વાગત, વિદ્યાર્થીઓનું સન્માન, કારકીર્દી માર્ગદર્શન, મહેમાનોનું ઉદ્દબોધન, આભારવિધી.

      તારીખ અને સમય હતોઃ- ૮.૬.૨૦૦૮ રવિવાર બપોરે ૩ થી ૬

      સ્થળ હતુઃ- હોબી સેન્ટર હોલ, એરપોર્ટ રોડ ફાટક, રાજકોટ.

     નિમંત્રક હતાઃ- રાયકા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (રેક્ટ) રાજકોટ- રબારી ઉત્કર્ષ મંડળ-રાજકોટ.

 

     ચોટીલામાં 'રબારી સમાજ સામાજિક-શૈક્ષણિક સંમેલન' નું  કરવામાં આવેલ આયોજન

      શ્રી વડવાળા મંદિર દૂધરેજના મહંત પૂ.કણીરામ બાપુ, શ્રી આપા ઝાલાની જગ્યા મેશરિયા મહંત પૂ.બંસીદાસબાપુ તથા ચોટીલાના સમાજ અગ્રણી શ્રી મોતીભાઈ હિરાભાઈ સાંબડ ની રાહબરીમાં તાજેતરમાં પવિત્ર યાત્રાધામ ચોટીલા તળેટીમાં 'રબારી સમાજ સામાજિક-શૈક્ષણિક સંમેલન' નું આયોજન કરવામાં આવેલ. જેમાં પાંચાળ પંથકના અતિ પછાત એવા ૨૦ ગામોમાંથી ત્રણ લેખે કુલ ૬૦ ગરીબ રબારી બાળકોને દત્તક લેવાનું નક્કી થયેલ છે. આ બાળકોના ભણતર ખર્ચ, નોકરી-વ્યવસાયની પ્રાપ્તિ, કન્યા શોધી અને સાથે સમૂહલગ્નમાં પરણાવી દેવા સુધીની તમામ જવાબદારી ઉપસ્થિત સંતો અને સમાજ અગ્રણીઓ દ્વારા લેવાઈ છે. સમાજમાં અન્ય સંતો અને સાધન સંપન્ન પરિવારોએ ચોટીલા સંમેલનના આવા સ્તુત્ય- સરાહનીય- પ્રશંસનીય પ્રયાસમાંથી પ્રેરણા લેવી ઘટે!

 

મોરબી ખાતે શૈક્ષણિક - માર્ગદર્શન શિબિર યોજાઈ ગઈ.

     રાજકોટ જિલ્લાના મોરબી ખાતે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ અને રાયકા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત દ્વારા રબારી બાળકોમાં સુંદર શૈક્ષણિક- માર્ગદર્શન શિબિર મહંત પૂ.રામબાલકદાસ બાપુના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગઈ. રબારી સમાજમાં સામાજિક રીતે ખૂબજ વંચિત ગણાતા આ પંથકમાં "રેક્ટ" દ્વારા ખૂબજ સરાહનીય કાર્ય થયું છે.

 

      ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શ્રી રબારી અમરતભાઈ ના બાળકાવ્ય સંગ્રહ "રંગતની સંગત" ની કરવામાં આવેલ પસંદગી.

     શ્રી રબારી અમરતભાઈ ગોબરભાઈ (મા.તંત્રીશ્રી ગોપાલગાથા, મુ.પો.જંત્રાલ, તા.વિજાપુર, જિ.મહેસાણા) જેઓ બાલસાહિત્યના જીવ છે. અગાઉ તેમનો બાળવાર્તા સંગ્રહ ગુજરાત સરકારના સમાજ કલ્યાણ ખાતા દ્વારા પુરસ્કૃત થયેલ અને ગ્રંથાલય નિયામકશ્રીએ પસંદ કરીને ગુજરાતની લાયબ્રેરીઓમાં આપેલ જેને પુનઃ મુદ્રિત કરાવવી પડેલ છે. તેટલી સફળતા મળેલ છે. તાજેતરમાં ગુજરાત સરકારના ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તેમના બાળકાવ્ય સંગ્રહ "રંગતની સંગત" પસંદ કરવામાં આવેલ છે. તે આનંદની વાત છે. અમરતભાઈ આ સિવાય અનેક સમાજસેવી પ્રવૃતિઓ સાથે જોડાયેલ છે. અને નિઃસ્વાર્થ રીતે સદાય તત્પર રહીને કાર્ય કરે છે. તેમનો કાવ્ય સંગ્રહ પસંદ થવા બદલ સમગ્ર સમાજ ગૌરવની લાગણી અનુભવે છે અને સમાજ વતી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. અભિનંદન.

 

૧૧૦ વર્ષના પૂનામા નો રબારી સમાજને સંદેશ

       સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દૂધઈ પાસે આવેલા પલાંસા ગામના માજી પુનાબેન ભગવાનભાઈ કળોતરા સમગ્ર સમાજને સ્વાસ્થ્ય અને દીર્ધાયુષ્યનો દીવો દેખાડે છે. પુનામાંની હાલની ઉંમર ૧૧૦ વર્ષની છે અને તંદુરસ્તી મસ્ત મસ્ત છે.

       આ ઉંમરે પણ તેઓ સ્વનિર્ભર - આત્મનિર્ભર છે. તેમના મતે ચારિત્ર્યની સંપતિજ શ્રેષ્ઠ છે. ચારિત્ર્ય ભ્રષ્ટ માલધારી યુવાનોને પણ તેઓ જણાવે છે કે, બાપલા તમારી અસલિયત ને ઓળખો! યાદ કરો કે અવતારી પુરૂષ શ્રીરામદેવ પીર બાપાએ પણ પોકણગઢ થી ૩૬૦ ગાઉ દૂરી પર પોતાની બહેન સગુણાને તેડવા માટે બીજા કોઈ સમાજને નહિ પણ રબારી સમાજના યુવાન રાયકાની પસંદગી કરેલી. ભલી ભોળી ઊજળાદૂધ જેવી કોમ અને જેના માથે શંકરનું ઓઢણું છે તે રબારીજાતિ સર્વોત્તમ બની રહે તે પુનામાનું સ્વપ્ન છે.

       પાંચાળની કંકુવરણી ધરતીની અમિરાત અને માયાળુ માનવીની મીઠાશની મોલાત જેવા પુનામાને દુહાઈ દેવા તાજેતરમાં રામકથાકાર પૂ.મોરારિબાપુએ પણ ખાસ સમય ફાળવી છેક પલાંસાની મુલાકાત લઈ તેમની સાથે સોનાની લગડી જેવી જૂનવાણી ઘણી વાતો કરી પુનામાના ઘેર જ તેમની સાથે ભોજન લીધું હતું. જેને સ્થાનિક અખબારો અને દિવ્ય ભાસ્કરે સચિત્ર પ્રકાશિત કરેલ છે.

 

ઉભરતો યુવા ગાયક કલાકાર શ્રીપોપટ માલધારી

         ગોપાલક સમાજમાં ગાયનક્ષેત્રે ઘણા પ્રતિભાશાળી કલાકારો ઊભરી રહ્યા છે. ઊંડાણના ગામડાંઓમાંથી ઘણી પ્રતિભાઓ પાંગરી રહી છે, તે પૈકી એક એટલે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવલી ગામના જાજરમાન યુવા કલાકાર શ્રીપોપટ માલધારી! માત્ર ૨૩ વર્ષની ઉંમરના જૂનિયર ભીખુદાન ગઢવી તરીકે જાણીતા આ યુવા કલાકારે અત્યાર સુધીમાં ત્રણસો જેટલા સ્ટેજ કાર્યક્રમોમાં પોતાના ગળાના કામણ પાથર્યા છે. તેઓ છેલ્લા ચાર વર્ષથી ગાયન કલાક્ષેત્રે સક્રિય છે. મુંબઈ જેવા મહાનગરમાં પણ તેમના સત્યાવીસ જેટલા સફળ કાર્યક્રમો થયા છે.

 

      ખાસ કેટેગરી હેઠળ રાજસ્થાનના રબારીઓને પાંચ ટકા અનામતનો લાભ અપાયો.

       રાજસ્થાનનાં મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજે તાજેતરમાં રબારી સમાજને ખાસ કેટેગરી હેઠળ ૫% અનામત આપવાની જાહેરાત કરી છે. એ જાહેરાતને સમસ્ત ભારતનાં વિવિધ રાજ્યોમાં વસતા રબારી- રાયકા- દેવાસી- દેસાઈ નામે ઓળખાતો માલધારી- પશુપાલક સમાજ હ્રદયપૂર્વક આવકારે છે અને રાજસ્થાનનાં મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજેનો આભાર માનીને એમને લાખ લાખ ધન્યવાદ અભિનંદન પાઠવે છે. ખાસ કેટેગરી હેઠળ આપેલી આ અનામતથી રાજસ્થાનનો સાવ પછાત રહી ગયેલો રબારી સમાજ ખૂબજ પ્રગતિ કરીને અન્ય સમાજોની હરોળમાં આવી શકશે.

 

શિક્ષણરથ નીકળશે, શિક્ષણ ફંડ એકઠું કરવામાં આવશે

       ધારાસભ્યશ્રી બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ દ્વારા તા.૨૨.૬.૨૦૦૮ ના રોજ સિધ્ધપુર મુકામે યોજાયેલા ઇનામ વિતરણ સમારંભમાં જાહેર કર્યુ છે કે આપણે શિક્ષણફંડ માટેના ટ્રસ્ટના રજીસ્ટ્રેશનની કાર્યવાહી કરી દીધી છે. આ શિક્ષણરથ નીકળશે, શિક્ષણ માટેનુč