રબારી સમાજના વિવિધ વર્તમાન
આ વિભાગ રેગ્યુલર અપડેટ થાય છે.

 

 અમે આભારી છીએ

 

 "ગોપાલબંધુ"

 ગોવિંદભાઈ દેસાઈ

મહેસાણા
 

"રબારી મહિમા"

વીરાભાઈ કોડીયાતર

પોરબંદર

 

"ગોપાલ ગાથા"

અમરતભાઈ દેસાઈ

જંત્રાલ

 
 
 
 
 
 
 
 
વિષેશ અહેવાલો
 
રબારી સમાજ ગીતા
ગુજરાત રબારી સમાજ બંધારણ પરીષદ
 
 
 
 
 
 

SEPTEMBER NEWS

આંતરાષ્ટ્રીય તરણેતર ના મેળામાં માલધારીઓએ બાજી મારી.

       આંતરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પાંચાળના તરણેતર મેળામાં રાજ્ય સરકાર દ્વારા યોજાયેલ રાજ્યકક્ષાની જાતવાન પશુધન હરિફાઈમાં રાજકોટના વિરાભાઈ ભૂરાભાઈ રબારીના પશુએ શ્રેષ્ઠતા પૂરવાર કરી દ્રિતીય સ્થાન સાથે રૂ.8,000 નો અને વિક્રમભાઈ લધુભાઈ રબારીએ તૃતીય સ્થાન સાથે રૂ.5,000 નો રાજ્ય સરકારનો ખાસ જાતવાન પશુધન પુરસ્કાર મેળવ્યો છે. તરણેતરની 'લાકડી સમણવાની' સ્પર્ધામાં માલધારી કાનાભાઈ દેવુભાઈ ભરવાડે રાજ્યમાં પ્રથમ ક્રમે આવીને 'સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત' નું ખાસ ઈનામ મેળવેલ છે.

 

ઝાલાવાડની માલધારી રાસ મંડળી ઈંગ્લેડને રાસ રમાડશે.

        રાસ ની કલામાં ગુજરાતમાં શિરમોર ગણાતી સુરેન્દ્રનગર ની શક્તિપરા માલધારી રાસ મંડળીની હાલમાં જ ઈંગ્લેડના 'વોઈસ ઓફી ઈન્ડીયા' પ્રોગ્રામમાં પરફોર્મન્સ આપવા પસંદગી થઈ છે. આ મંડળી ની હમણાજ 'એર ઈન્ડીયા' ના પ્રોગ્રામમાં પણ પસંદગી કરવામાં આવેલ. ઝાલાવાડની ખમીરવંતી ધરતીની માલધારી રાસ મંડળીઓ માત્ર જિલ્લા, રાજ્ય કે રાષ્ટ્ર માં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ પ્રખ્યાત બની છે.

 

સેવામૂર્તિ નાગજીભાઈ દેસાઈ ના પૌત્રી એ M.B.B.S.ની ગૌરવપૂર્ણ ડીગ્રી મેળવી.

        ગુજરાતના પ્રખર કેળવણિકાર અને ઝાલાવાડના સેવામૂર્તિ અને ઋષિ તુલ્ય ગણાતા શ્રી નાગજીભાઈ દેસાઈ અને શાંતાતાઈ દેસાઈ ના પૌત્રી અને ડો.નિખિલેશભાઈ દેસાઈની પુત્રી ચિ.સોનમબેને તબીબી અભ્યાસક્રમમાં M.B.B.S.ની ગૌરવપૂર્ણ ડીગ્રી મેળવીને સમસ્ત રબારી સમાજનું ગૌરવ વધાર્યુ છે. કુ.સોનમબેન હજુ પણ ઉચ્ચ મેડીકલક્ષેત્રમાં અભ્યાસ કરી 'સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર' બનનાર છે. અભિનંદન...

 

 AUGUST NEWS

         સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ(બક્ષીપંચ)ના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસની લોન તેમજ કોમર્શીયલ પાયલોટની તાલીમ માટે લોન

           સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ ના વિદ્યાર્થીઓ કે જેઓએ જે તે સ્નાતક કક્ષાની વિદ્યાશાખામાં વિષેશ યોગ્યતા મેળવેલ હોય કે અદ્વિતીય ઉપલબ્ધિ પ્રાપ્ત કરેલ હોય તેવા વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષા, પી.એચ.ડી. તેમજ ઉચ્ચ કક્ષાના સંશોધન અને કોમ્પ્યુટર ક્ષેત્રના અભ્યાસક્રમો માટે વાર્ષિક ૪ ટકા વ્યાજના દરે રૂ.૧૦ લાખની લોન અને કોમર્શીયલ પાયલોટની તાલીમ માટે રૂ.૧૫ લાખની લોન આપવાની યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ પોતાના જીલ્લામાં આવેલ જીલ્લા નાયબ નિયામક (વિ.જા.)/જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) ની કચેરી તેમજ નિયામક વિકસીત જાતિ કલ્યાણ ગાંધીનગરની કચેરીએથી આ અંગેનું અરજીફોર્મ મેંળવી જરૂરી આધાર પુરાવાઓ સાથે વિદેશ અભ્યાસ અર્થે જતાં પૂર્વે બે નકલમાં અરજી નીચેના સરનામે મોકલી આપવા જણાવવામાં આવે છે. વધુમાં આ બંને યોજનાઓની વધુ જાણકારી માટે જે-તે જીલ્લા કચેરીના તેમજ નીચે જણાવેલ કચેરીનો સંપર્ક સાધવા જણાવવામાં આવે છે. અરજી મોકલવાનું સરનામુઃ-

નિયામક, વિકસીત જાતિ કલ્યાણ ખાતુ,
ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
 

        પાંચ - પાંચ રબારીઓએ કોર્પોરેટ તરીકે વિજેતા બની રબારીઓના રાજકીય પાસાઓમાં નવો કીર્તીમાન સ્થાપ્યો

         વિધાનસભાની ચૂંટણીને પણ ટક્કર મારે તેવા અત્યંત રસાકસી સાથેના સટોસટના માહોલ વચ્ચે યોજાયેલ જૂનાગઢ મહાનગર પાલિકા (મ્યુનિસિપલ કોર્પોરેશન) ની ચૂંટણીમાં પાંચ-પાંચ રબારીઓએ કોર્પોરેટ તરીકે વિજેતા બની રબારીઓના રાજકીય પાસાઓમાં નવો કીર્તીમાન સ્થાપ્યો છે. તે પૈકી વોર્ડ નં- માં B.S.P. ના શ્રી માંડાભાઈ અરજણભાઈ હુણ નો, વોર્ડ નં-9 માં ભાજપના શ્રી કરમણભાઈ પૂંજાભાઈ કટારા નો, વોર્ડ નં-15 માં કોંગ્રેસના શ્રી ભગાભાઈ નાથાભાઈ રાડાનો , વોર્ડ નં-16 માં કોંગ્રેસના શ્રી નારણભાઈ કાનાભાઈ રાડાનો, તથા વોર્ડ નં-1 માં કોંગ્રેસના શ્રી ગજુભાઈ બઢ (પરમાર) નો ઝળહળતો વિજય થયો છે.

         આમાંથી શ્રી ભગાભાઈ રાડાની કોર્પોરેશનની સૌથી મહત્વપૂર્ણ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે તથા પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી કરમણભાઈ કટારાની વિરોધપક્ષના દંડક તરીકે સર્વાનુમતે વરણી થઈ છે.

 

મામરો કલાના આરાધક દ્વારકાના શ્રી કારાભાઈ મોરી

     દ્વારકાના વતની શ્રી કારાભાઈ મોરી ઓછું ભણેલા હોઈને છુટક મજૂરીકામ કરીને પોતાના પરિવારનો નિર્વાહ કરે છે. છતાં તેમને ગોપસંસ્કૃતિ અને પ્રતિકાત્મક ચિત્રકામનો ઘણોજ શોખ છે. તેમની આ કલા કલાપ્રદર્શનોથી માંડીને ઉદ્યોગગૃહો સુધી પહોંચી છે. તાજેતરમાં આ કલાકારનું ગુરગટ ખાતે કાંકરેજના ધારાસભ્યશ્રી બાબુભાઈ દેસાઈના વરદ હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. શ્રી કારાભાઈ તેમની 'મામરો' કલાદ્વારા ઘરની દીવાલો ઉપર કૃષ્ણ જીવનના સુંદર પ્રસંગોનું આલેખન કરે છે.

     કારાભાઈની કલા જોવા પહોંચતા કેટલાક મહાનુભાવો તેમજ કારાભાઈને પ્રસ્તૂતિ કરી હોય તેવા દેશ-વિદેશના ઘણાં લોકોના હકારાત્મક પ્રતિભાવો મળતા રહે છે. હૈદ્રાબાદના વી.કાનન, ચેન્નઈના મીરૂગીશન, સિકન્દ્રાબાદના સુલોચનાબેન, શ્રીનિવાસન, અંબાણી પરિવાર, ધારાસભ્યો, પદાધિકારીઓની પ્રશંસાત્મક નોંધ એક નોટબૂકમાં કારાભાઈએ કરાવી છે. કલાના કસબી અને માલધારી પરિવારનો આ યુવાન આજે પણ છુટક મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. આ કલાને તેમણે વ્યવસાય નહીં પણ પુજા માની છે.

 

     ફૂલછાબ દ્વારા કેળવણીકાર "પૂ. ભાઈ-તાઈ" ની સેવાકીય પ્રવૃતિઓની ફોટો-સ્ટોરી પ્રગટ કરી

     સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગૌરવશાળી અને માતબર દૈનિક ફૂલછાબ દ્વારા તાજેતરમાં રબારી સમાજની સુપ્રસિધ્ધ કેળવણીકાર બેલડી સુરેન્દ્રનગરના "પૂ. ભાઈ-તાઈ" ની સેવાકીય પ્રવૃતિઓ વિશે ફોટો-સ્ટોરી પ્રગટ કરવામાં આવેલ. તેમાં તેમની ૪૯ વર્ષની દીર્ધ સેવાકીય પ્રવૃતિઓનું ગૌરવ કરી બિરદાવેલ છે. તેમના હાથ નીચે ભણી ગયેલ હજારો વિદ્યાર્થીઓ માંથી ઘણા ક્લાસવન અધિકારીઓ પણ થયા છે. પૂ. ભાઈ-તાઈ દ્વારા અનેક અનાથ બાળકોને તેમની સંસ્થામાં બાળમંદિરથી ઉચ્ચ શિક્ષણ સુધી અભ્યાસ કરાવી નોકરી-રોજગારી અપાવી શિક્ષિત કન્યાઓ સાથે લગ્ન પણ લેવડાવી આત્મ સન્માનથી જીવતા કર્યા છે.

 

રમત ગમત ક્ષેત્રે માલધારી સમાજ

     તાજેતરમાં ઓલ ઇન્ડિયા સેકોકાઈ કરાટે ચેમ્પિયનશીપ નવી દિલ્હી ખાતે યોજાયેલ, તેમાં જૂનાગઢ જિલ્લાના વેરાવળ શહેરની આદિત્ય બિરલા પબ્લીક સ્કુલના સુનીલકુમાર ચોપડાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ઉત્તર પ્રદેશમાં તાજમહેલની ભૂમિ આગ્રા ખાતે યોજાયેલ આવી જ કરાટે ચેમ્પિયનશીપમાં સુરેન્દ્રનગરના શ્રી કૌશિકકુમાર મર્યાએ ગોલ્ડ મેડલ મેળવી રબારી સમાજનું ગૌરવ વધાર્યુ છે. વડોદરા ખાતેની આવી જ ઓલ ઈન્ડિયા લેવલની કરાટે સ્પર્ધામાં ગુજરાતના ૮ અને ભારતભરના ૪૦૦ કરાટે બાજોમાં સિનિયર બ્લેક બેલ્ટ વિભાગમાં મયુરકુમાર ગોલતરે ગોલ્ડ મેડલ મેળવી ઝાલાવાડ પંથક અને સમસ્ત માલધારી સમાજનું ગૌરવ વધાર્યુ છે.

 

ગામે ગામ રબારી સમાજના તેજસ્વી તારલાઓના સન્માન થયા

     આગામી સમયમાં સમાજમાં શિક્ષણક્ષેત્રે જાગૃતી આવે અને ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજમાં બાળકો પ્રગતિનાં શિખરો સર કરે તેવા આશય થી ગામે ગામ રબારી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાઈ ગયા.

સુરેન્દ્રનગર રબારી સમાજ તા.૨.૮.૨૦૦૯
વડવાળા સંસ્કાર ધામ છાત્રાલય રાધનપુર તા.૧૨.૭.૨૦૦૯
રબારી સમાજ બોર્ડિગ થરા તા.કાંકરેજ તા.૧૨.૭.૨૦૦૯
દેવ દરબાર રામેશ્વર આશ્રમ મુ.ગંભીરપુરા તા.ઈડર તા.૨૮.૬.૨૦૦૯
કડી ગોપાલક વિકાસ મંડળ તા.૨૧.૬.૨૦૦૯

      તદઉપરાંત વિનય મંદિર મુ.ડારી તા.વેરાવળ, બારડોલી પ્રદેશ રબારી સમાજ, પાદરા તાલુકા રબારી સમાજ વગેરે ગામો માં પણ ઇનામ વિતરણ સમારંભ યોજાઈ ગયો.

 

"કોમ્પ્યુટર સાયન્સ" માં Ph.D ની ડીગ્રી મેળવતા હર્ષદભાઈ ભાડકા

      સુરેન્દ્રનગરની સી.યુ.શાહ એન્જિનિયરીંગ કોલેજના લેક્ચરર શ્રી હર્ષદભાઈ પી.ભાડકાએ સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી માંથી ડો.એન.એન.જાની ની ગાઈડશીપમાં "કોમ્પ્યુટર સાયન્સ" માં Ph.D. ની ડીગ્રી મેળવી સમસ્ત રબારી સમાજનું ગૌરવ વધાર્યુ છે.

 

 
પાછલા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો...